GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

વ્યાજનો દર
આપેલ પૈકી એક પણ નહીં
દેવાંની પડતર
વળતરનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ?
(I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે.
(II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે.
(III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો.
આપેલ તમામ
આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય.
બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ?

બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે
ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે.
દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી.
વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ?
(I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે.
(III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે.
(IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.

માત્ર (III) અને (IV) સાચાં
(IV) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી.
(II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા.
(III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે.
(IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી.
ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP