GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે. 2. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌ પ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. 3. દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટીસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ? 1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી. 2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ. 3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું. 4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.