GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ?

બ. ક. ઠાકોર
દલપતરામ
રમણભાઈ જોશી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

માત્ર 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું.
II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં.
III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.

ફક્ત II
ફક્ત I
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP