GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ? I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું. II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં. III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. 2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે. 3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. 4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.