GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે.
3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પ્રથમ અધિવેશન 1905 માં ___ ના પ્રમુખપણા હેઠળ યોજાયું.

કે. હ. ધ્રુવ
રણછોડભાઈ ઉદયરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જારી કરવામાં આવેલા 9મા વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 149 દેશોમાં ભારતે 139મો ક્રમ પ્રાપ્ત કર્યો.
2. યાદીમાં ફીનલેન્ડ પ્રથમ ક્રમે છે.
3. યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે.
4. યાદીમાં યુ.એસ.એ. પ્રથમ 10 ક્રમમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નહીં.

ફક્ત 1 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે.
2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે.
3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બે ___ ખડક સ્તરો વચ્ચે ___ ખડક સ્તરની વિશિષ્ટ ગોઠવણીને કારણે કેટલાક પ્રદેશોમાં ખોદવામાં આવતા કૂવામાં જલદાબક્રિયાને કારણે કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવે છે.

પારગમ્ય, અપારગમ્ય
રેતી, પારગમ્ય
અપારગમ્ય, પારગમ્ય
પારગમ્ય, રેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે.
2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે.
4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP