GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

I, II, III અને IV
ફક્ત III અને IV
ફક્ત I, II અને IV
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે.
2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ
3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે.
4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે.

શીરાઓ કઠણ બનવા
મૂત્રપિંડની પથરી
ધમનીઓ કઠણ બનવા
યકૃત સરિહોસિસ (Cirrhosis)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો હેતુ ___ છે.

ખાતર પૂરા પાડવા
આપેલ પૈકી એક પણ નહીં
ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા
કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન
2. મેનગ્રુવ વન
3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન
4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન
યાદી-II
a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે.
b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે.
c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે.
d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.

1 - d, 2 - a, 3 - b, 4 - c
1 - a, 2 - b, 3 - c, 4 – d
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - b, 2 - c, 3 - d, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP