GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.
2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.
3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત સરકારના 2021-2022 ના અંદાજપત્રના 6 સ્તંભો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અંદાજપત્રનો સ્વાસ્થ્ય અને સુખાકારીનો સ્તંભ નિવારક, ઉપચારક અને સુખાકારી પગલાંઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે.
2. 500 AMRUT શહેરો માટે પ્રવાહી કચરા વ્યવસ્થાપનની જોગવાઈ અંદાજપત્રના ભૌતિક અને નાણાકીય તેમજ આંતરમાળખાકીય સ્તંભ હેઠળ કરવામાં આવી છે.
3. માનવ મૂડી (Human Capital) સ્તંભને પુનર્જીવીત કરવાના સ્તંભ હેઠળ બિનસરકારી સંગઠનો, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 1000 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.

ફક્ત 1
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?

6 : 17
આપેલ પૈકી કોઈ નહીં
5 : 19
5 : 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પ્રથમ અધિવેશન 1905 માં ___ ના પ્રમુખપણા હેઠળ યોજાયું.

ગોવર્ધનરામ ત્રિપાઠી
રણછોડભાઈ ઉદયરામ
અંબાલાલ દેસાઈ
કે. હ. ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કોણે મૈસૂરની તાકાતને કચડી નાખી, હૈદરાબાદ અને અવધ ઉપર કુલમુખત્યારશાહી બ્રિટીશ અંકુશ સ્થાપ્યો, તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ લઈ લીધો અને પેશવા અંગ્રેજ સહાય પર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી ?

વૉરન હેસ્ટિંગ્સ
મીન્ટો
વેલેસ્લી
કૉર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP