GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કર-મહેસૂલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કર સરકારી પ્રવૃત્તિઓને ભંડોળ પુરૂ પાડવા માટે વ્યક્તિઓ અને કોર્પોરેશનો પાસેથી વસુલાતી સ્વૈચ્છિક ફી છે. 2. કુલ ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) ટકાવારી તરીકે કુલ કર મહેસૂલ સરકાર દ્વારા કરવેરાઓ મારફતે ઉઘરાવવાનો દેશના ઉત્પાદનનો હિસ્સો સૂચવે છે. ૩. કર-મહેસૂલ આવકવેરો, કોર્પોરેશન વેરો, સીમા શુલ્ક, સંપત્તિ વેરો, જમીન મહેસૂલ ઉપર વેરો વિગેરેના ઉઘરાણાનો સમાવેશ કરે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ? 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી. 2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે. 3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે. 4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે. 2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે. 3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.