GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.

માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ___ રાજ્યમાં સ્થપાશે.

કચ્છ, ગુજરાત
વિદર્ભ, મહારાષ્ટ્ર
બોલસાર, ઓડિશા
નિઝામાબાદ, તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે.
III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.
IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.

ફક્ત I
ફક્ત II, III અને IV
I, II, III અને IV
ફક્ત I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો.
2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન’’ થી દર્શાવેલ છે.
3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે.
4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1. 2. 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

ડોલોમાઈટ
શેલ (Shale)
કોલસો
રેતી પથ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.
2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં.
3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે.
4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP