GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ___

હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
સમાંતર કિરણો મોકલે છે.
તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે.
III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

ફક્ત I અને II
ફક્ત I અને III
I, II અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે.
સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે.
ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે.
શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.
2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે.
3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.

આપેલ પૈકી કોઈ નહીં
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP