GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે. 2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે. 2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે. 3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા. 2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું. 4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. 2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે. 3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.