GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી.
2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા.
3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.

ફક્ત 1
1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે ગરીબી રેખાની માપણી ___ ના રૂપમાં કરવાનો નિર્ણય કર્યો છે.

ઘરેલુ રોકાણ
આપેલ પૈકી એક પણ નહીં
ઘરેલુ વપરાશ
ઘરેલુ બચત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.
3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. UDAY ભારતમાં વિવિધ રાજ્યોના માંદા પાવર ડીસકોમ (discoms)ને મદદ કરવા માટેની કેન્દ્રીય યોજના છે.
ii. આ યોજના હેઠળ નુકસાન કરતાં પાવર ડીસકોમના દેવાનો બોજ જે તે પાવર ડીસકોમ અને જે તે રાજ્ય દ્વારા 1:3 ના ગુણોત્તમાં વહેંચાશે.
iii. પોતાના હિસ્સાના દેવાની ભરપાઈ કરવા માટે પાવર ડીસકોમને UDAY બોન્ડ જારી કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ન્યાયાધીશની નિમણૂંક કેસ 1998 ના સંદર્ભે ન્યાયાધિશોની નિમણૂંક બાબતે ઉચ્ચતમ ન્યાયાલયના સ્પષ્ટીકરણો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિનિમય કરશે.
ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચારવિનિમય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP