GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.

વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
COVAX રસી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો રસી પહેલ હેઠળ ઘાના ૨સી મેળવનાર પ્રથમ દેશ બન્યું છે.
2. ઘાના ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી એસ્ટ્રાજેનીકા (AstraZeneca) રસીના 6 લાખ ડોઝ મેળવશે.
3. 90 થી વધારે ઓછી અને મધ્યમ આવક દેશોએ સંયુક્ત રાષ્ટ્રો સમર્થિત COVAX કાર્યક્રમ માટે સહી કરી છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
વિરામનો દિવસ કયો હતો ?

શુક્રવાર
આપેલ પૈકી એક પણ નહીં
ગુરૂવાર
બુધવાર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે.
2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી.
3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP