GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
આપેલ પૈકી કોઈ નહીં
સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલિન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ (Council of State)ની રચનાની જોગવાઈ કરી.
2. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935 માં અસ્તિત્વમાં આવી.
૩. તે વખતે ગવર્નર-જનરલ તત્કાલિન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હતા.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે.
રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સમયે ___ રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી. અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં.

બોટાદ
ઈડર
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિમી/કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિમી/કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુધ્ધ દિશામાં ઝડપ કેટલી હશે ?

7 કિમી/કલાક
3.5 કિમી/કલાક
આપેલ પૈકી કોઈ નહીં
5 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.
2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે.
૩. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP