GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં. 2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી. 3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે. 4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો. 2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે. 3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે.