GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે.
ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય.
પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે.
મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ?

વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર
બજેટ મંત્રાલય, ભારત સરકાર
આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 65,000
રૂ. 62,000
રૂ. 60,000
રૂ. 68,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક્ઝિમ (EXIM) બેંક વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. એક્ઝિમ બેંકની સ્થાપના વર્ષ 1982માં થઇ હતી.
II. 1981માં પસાર થયેલા એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ એક્ઝિમ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.
III. એક્ઝિમ બેંકની કામગીરી ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર દ્વારા સંચાલિત છે.
IV. એક્ઝિમ બેંક નિકાસકારોને નાણાં આપવાનું પસંદ કરે છે આયાતકારોને નહીં.

I અને II
II અને III
II અને IV
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ?

દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે.
હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે.
એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે.
સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP