GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે. ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે. iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર અને પોર્ટુગલે પ્રાચીન ભારતીય સ્થળ ___ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલય (Maritime Heritage Museum) સ્થાપવામાં સહકારનો નિર્ણય કર્યો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે. ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે. iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે. ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે. iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે. iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.