GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માનવ વિકાસ અહેવાલ 2019 (Human Development Report-2019) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ અહેવાલ પ્રમાણે 189 દેશોની યાદીમાં ભારત 129મા ક્રમે આવેલ છે. ii. 2017માં 130 મો ક્રમ ધરાવતું ભારત 1 ક્રમ ઉપર આવેલ છે. iii. આ યાદીમાં સ્વીડને પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. iv. આ અહેવાલ મુજબ 2005-06 થી 2015-16 સુધીમાં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.