GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

30 દિવસો
75 દિવસો
60 દિવસો
45 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે.
ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે.
iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ 1906 માં “મિત્રમંડળ પુસ્તકાલયો’’ની પ્રવૃત્તિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.

ઝવેરચંદ મેઘાણી
મોતીભાઈ અમીન
મૂળશંકર મૂલાણી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
તમામ ત્રણેય વિષયોમાં પાસ હોય તેમની ટકાવારી કેટલી ?

4
6
આપેલ પૈકી એક પણ નહીં
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માનવ વિકાસ અહેવાલ 2019 (Human Development Report-2019) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ અહેવાલ પ્રમાણે 189 દેશોની યાદીમાં ભારત 129મા ક્રમે આવેલ છે.
ii. 2017માં 130 મો ક્રમ ધરાવતું ભારત 1 ક્રમ ઉપર આવેલ છે.
iii. આ યાદીમાં સ્વીડને પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
iv. આ અહેવાલ મુજબ 2005-06 થી 2015-16 સુધીમાં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.

i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP