GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી ફૂગાવો
વિદેશી પ્રવાહન
વિદેશી ચલણ રૂપાંતરણ
વિદેશી વ્યવહારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જેમ્સ વૉલ્ટરે શૅરના મૂલ્યાંકનનું મૉડેલ પ્રસ્તાવિત કર્યું છે કે જે પેઢીની ડિવિડન્ડ નીતિ એ શૅરના મૂલ્યાંકનની ધારક છે તે દૃષ્ટિબિંદુને સહાય કરે છે. નીચેના પૈકી કઈ ધારણા આ મૉડેલ સાથે સુસંગત નથી ?

રોકાણ પર વળતરનો દર સતત છે.
પેઢીનું આયુષ્ય મર્યાદિત છે.
પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે.
રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.
તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.
સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

માત્ર (II)
માત્ર (I) અને (II)
આપેલ તમામ
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ –

કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી.
સંજોગો આધારિત ફરજિયાત
ફરજિયાત નથી.
ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?
(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

(I) અને (II) બંને નહીં
માત્ર (I)
(I) અને (II) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP