GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?
(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?
(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.

બંને સાચાં નથી.
બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ?
(I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું.
(II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું.

માત્ર (I) જરૂરી છે.
માત્ર (II) જરૂરી છે.
(I) અને (II) બંને જરૂરી છે.
બંને જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?
(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ
(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ
(III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ

એક પણ નહીં
માત્ર (II)
માત્ર (I)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP