GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
14/17
8/11
10/13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ?

આપેલ પૈકી કોઈ નહીં
7/30
23/90
19/90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ ___ માં રહેલાં છે.

જોડાણ (ઉપાદાન)
યાતના (દુઃખ)
અજ્ઞાન (અવિજ્જા)
લાલસા (તન્હા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ?
I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.
II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.
III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.

ફક્ત II
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP