GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉતરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી ?

વાસુગુપ્ત
કૌટિલ્ય
રાધાગુપ્ત
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ?
1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે.
2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે.
3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં રેપો રેટ (Repo Rate) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે.
ii. ભારતમાં બેન્ક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે.
iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
i,ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?

T, R
T, P
આપેલ પૈકી એક પણ નહીં
R, Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP