GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. વિરામનો દિવસ કયો હતો ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે. 2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી. 3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. નાભિ (Core) - તે વધુ ઈંધણ ધરાવે છે અને ઊર્જા ઉત્પાદન માટે જરૂરી ઉષ્મા પેદા કરે છે. 2. ન્યુટ્રોન પોઈઝન - ન્યુટ્રોન પોઈઝન એક મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ (Neutron absorption cross section) સાથેનો પદાર્થ છે. ૩. કુલન્ટ (Coolant) – તે જે વધારાની ઉષ્મા પરિવર્તીત અથવા સ્થાનાંતરિત ના થાય તેને દૂર કરે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે. 2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી. 3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે. 2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. 3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.