GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે. કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે. ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે. III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અંગે નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચુ/સાચા છે. વિધાન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. દોશી સમિતિની ભલામણ પર પ્રાદેશિક ગ્રામીણ બેંકો(RRBs) ની સ્થાપના કરવામાં આવી હતી. II. પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. III. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકોની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તે મર્યાદાઓને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. IV. પ્રાદેશિક ગ્રામીણ બેંકો મોટા પાયાના ઉદ્યોગો ને લાંબા ગાળાની લોન પ્રદાન કરે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ. III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે. IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.