GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. 2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી. 3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે. 2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે. 3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે.