GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

ફક્ત i અને ii
ફક્ત i
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે.
ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો.
iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.

i,ii,iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : V&D,D%T,K$T,K#F
તારણો : (I) V%F
(II) V%K

જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ I સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો માત્ર તારણ II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP