GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે.
2. મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે.
3. ગાંધીજી અને જિન્હાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી.
4. આ દરખાસ્ત જિન્હા દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-a, II-b, III-c, IV-d
I-c, II-d, III-a, IV-b
I-d, II-c, III-b, IV-a
I-b, II-a, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1 : 3
1 : 8
1 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે.

કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ
માલિકીનું ઓડિટ (Proprietary audit)
ભંડોળની જોગવાઈઓનું ઓડીટ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ___ માં થયો હતો.

એતરેય બ્રાહ્મણ
કૌષીતકિ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ
આર્સેય બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો.
III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.

ફક્ત I અને II
ફક્ત III
ફક્ત I
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP