GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ?
(I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે.
(II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે.
(III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.

માત્ર (II) સાચું છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરાના કાયદાની કલમ 14 મુજબ, વ્યક્તિની કઈ આવક / આવકો કુલ ગ્રોસ આવકમાં સમાવેશ થાય છે ?
(I) પગાર
(II) મકાન મિલકતની આવક
(III) ધંધા કે વ્યવસાયની આવક
(IV) મૂડી નફો

માત્ર (I) અને (II)
માત્ર (I), (II) અને (IV)
બધાનો સમાવેશ થાય છે.
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
માત્ર (I)
માત્ર (II)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર II સાચું છે.
માત્ર I સાચું છે.
I અને II બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીધારો 2013 ની કલમ ___ મુજબ કંપની ઑડિટરે જણાવવું પડે છે કે એના અભિપ્રાય મુજબ નાણાકીય પત્રકોની રજૂઆત ‘સાચી અને વાજબી' છે જે નાણાંકીય વર્ષના અંતે કંપની બાબતો અને નફા કે નુકસાન પર આધારિત છે.

142
141
143
140

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP