GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે. (I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર (II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ? (I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે. (II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે. (III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. (IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.