GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે... (I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય. (II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય. (III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય. (IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે. (II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે. (III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે. (IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.