GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને વિધાનો ખોટા છે.
વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.
વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.
બંને વિધાનો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

હિસાબી સમયગાળાની ધારણા
હેતુલક્ષીપણાનો સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત
સુસંગતતાના સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ?

ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP