GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંને સાચાં છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર I સાચું છે.
માત્ર II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ?

ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે.
ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે.
બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે.
ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો.
(I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) જ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું પૂર્વાનુમાન તે ધારણાને આધારે છે કે ભૂતકાળની માહિતી (વલણ) ભવિષ્યમાં પણ અનુસરશે ?

કાર્ય અને કારણ પધ્ધતિ
નિર્ણાયક પધ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં
સામયિક શ્રેણી પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?
(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ
(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ
(III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ

માત્ર (III)
માત્ર (II)
માત્ર (I)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP