GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

માત્ર II સાચું છે.
માત્ર I સાચું છે.
I અને II બંને સાચાં છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

(II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II)
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (I) અને (II)
માત્ર (I) અને (IV)
બધાં જ
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે.

સ્ટાફ પરિક્ષણ એકમ
નાણાં પંચ વિભાગ
આપેલ તમામ
સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP