GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?
(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.
(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.

(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી.
માત્ર (I) ખોટું છે.
માત્ર (II) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ?

બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

ચાલુ ધંધાની આવક
વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક
કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક
ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દેશની રાજકોષીય નીતિને અંકુશિત કરવા માટે મહેસુલ વિભાગ અને ખર્ચ વિભાગ પોતાની ભૂમિકા ભજવે છે. કયા બે વૈધાનિક બોર્ડ દ્વારા તે થાય છે ?

CBDT અને CIBC
BBDT અને CCIC
CBDT અને CBIC
CDBT અને CBIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

માત્ર (I)
માત્ર (II)
(I) અને (II) બંને
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી.
(II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP