GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

(I) અને (II) ખોટાં છે.
માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું પેઢીનું બાહ્ય પરિબળ છે કે જે ભારિત સરેરાશ મૂડી પડતરને અસર કરતું નથી ?

કરનો દર
મૂડીમાળખાની નીતી
બજાર જોખમનું પ્રીમીયમ
વ્યાજના દરનું સ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (II) અને (III)
બધાં જ
માત્ર (I) અને (II)
માત્ર (I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

માત્ર II સાચું છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર I સાચું છે.
I અને II બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.
વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દેશની રાજકોષીય નીતિને અંકુશિત કરવા માટે મહેસુલ વિભાગ અને ખર્ચ વિભાગ પોતાની ભૂમિકા ભજવે છે. કયા બે વૈધાનિક બોર્ડ દ્વારા તે થાય છે ?

CBDT અને CBIC
BBDT અને CCIC
CBDT અને CIBC
CDBT અને CBIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP