GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
આપેલ પૈકી એક પણ નહીં
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ 'ચિત્તવિચારસંવાદ' લખ્યું છે ?

પ્રેમાનંદ
અખો
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શૃંગ કાળ દરમ્યાન ___ એ સાકેત તને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.

યુક્રિટાઈડ્સ
એન્ટાબાઈસીડ્સ
એલેક્ઝાન્ડર
મિનેન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.
II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.
III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

ફક્ત I અને II
I, II અને III
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ___ માં થયો હતો.

શતપથ બ્રાહ્મણ
કૌષીતકિ બ્રાહ્મણ
આર્સેય બ્રાહ્મણ
એતરેય બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP