GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ટીળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી
II. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા.
III. ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી.

I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ?

ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.
અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.
શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ.
ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં
જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં
અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે.
તારણો :
I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી.
II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે.

જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP