GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

આપેલ પૈકી એક પણ નહીં
(I), (II) અને (III)
(II) અને (III)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

દેવાંની પડતર
વળતરનો દર
આપેલ પૈકી એક પણ નહીં
વ્યાજનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?
(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.
(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે.
(III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય.

માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP