GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર - અમિત્રાઘાટ
II. સમુદ્રગુપ્ત - પરાક્રમક
III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય

I, II, III અને IV
ફક્ત I, III અને IV
ફક્ત I અને III
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?

ઉપરથી પ્રથમ
નીચેથી બીજું
આપેલ પૈકી એક પણ નહીં
ઉપરથી ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
આ સમયગાળામાં કંપનીએ પ્રતિવર્ષ કેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું ?

રૂ. 32.43 લાખ
રૂ. 36.66 લાખ
રૂ. 34.18 લાખ
રૂ. 33.72 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે ?

28.5 cm
માહિતી અપૂરતી છે.
22.5 cm
25.5 cm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
પીળો દડો ___ માં છે.

પેટી 2 અથવા પેટી 3
પેટી 3
પેટી 2
પેટી 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP