GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી. ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી. iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ? i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે. ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે. iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.