GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.
(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ?

ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે.
ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે.
ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે.
બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વેપારી બેંકો અને સહકારી બેંકોના તફાવત અને સમાનતાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.

સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી
વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે.
વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે.
વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો.
(II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો નાબાર્ડ સંબંધિત છે ?
(I) NABARD નું પૂર્ણ નામ National Bank for Agriculture and Radical Development છે.
(II) નાબાર્ડની સ્થાપના 12મી જુલાઈ, 1982માં થઈ.
(III) નાબાર્ડની સ્થાપના 12મી ડિસેમ્બર, 1982માં થઈ.
(IV) તે પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુન:ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સહકારી બેંકોને નહીં.

માત્ર (I) અને (II)
માત્ર (IV)
માત્ર (II)
માત્ર (III) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

(I) અને (III)
બધાં જ
(II) અને (IV)
એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP