GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી. 2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો. 3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે. 2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે. 3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈઓ ફરજીયાત જોગવાઈઓ ગણવામાં આવે છે ? 1. ગામડાં, વચલી કક્ષાએ અને જીલ્લા સ્તરે પંચાયતોમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી આપવાના આદેશ કરવો. 2. પંચાયતોમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 21 વર્ષ 3. પંચાયતોના તમામ નાણા જમા કરવા માટે ભંડોળ ઊભું કરવાની જોગવાઈ 4. પંચાયતના સીધી અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોના મતાધિકાર
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતની આર્થિક મોજણી 2020-2021 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત આર્થિક મોજણી 2020-2021 કોવિડ યોધ્ધાઓ (વોરિયર્સ)ને સમર્પિત કરવામાં આવી હતી. 2. ભારતનું વાસ્તવિક ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) નાણાકીય વર્ષ 2021-22 માં 11% વૃદ્ધિ નોંધાશે અને નોમિનલ (Nominal) GDP 15.4% વધશે કે જે સ્વતંત્રતા બાદ સૌથી વધુ છે. 3. ભારતે ચાર સ્તંભ - નિવેશ (containment), રાજવૃત્તીય (fiscal), નાણાકીય (financial) અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓ - વાળી વ્યૂહરચના અપનાવી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તીજોરી બીલો (Treasury Bills) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ બિલો જોખમરહિત અને ખૂબ જ તરલ (highly liquid) ગણવામાં આવે છે. 2. આ બિલો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેનું વેચાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવે છે. 3. બેંક ઓફ ઈન્ડિયા તીજોરી બિલોને ખરીદી શકતી નથી, ફક્ત વાણિજ્ય બેંકો અને બિન બેંકીંગ નાણાકીય નિગમો (NBFCS) તેની ખરીદી કરી શકે છે.