GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

ફક્ત I, II અને IV
ફક્ત I, III અને IV
ફક્ત I, II અને III
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.
II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં.
III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.

ફક્ત I અને II
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂ. 800 હોય, તો 11 ઇંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 3,287
રૂ. 1,467
રૂ. 2,689

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.
II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.
III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.

ફક્ત I
I, II અને III
ફક્ત I અને II
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP