GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પ્રમાણ પડતર પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી.
કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો.
અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું.
હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.
સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.
તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે.
(II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.

(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.
(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) સાચાં નથી
બંને (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
(I), (II) અને (III)
(I) અને (II)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP