GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે.
2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં.
2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?

19 : 7
આપેલ પૈકી કોઈ નહીં
11 : 3
21 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'અભેલ મંડપ' અને "ચૈત્યગૃહ" સાથેની ગુફાઓ ___ ખાતે આવેલી છે.

ઉપલેટા
જામ કંડોરણાં
એભલપુરી
તળાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી.
2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે.
3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP