GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિ
II. ડાંગી આદિવાસી નૃત્ય
III. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા
IV. વાંસની ગાંઠવાળું તીર
a. રોબડાટી
b. હાળીપ્રથા
c. ખંધાડ
d. ભાયા

I-d, II-c, III-b, IV-a
I-d, II-c, III-a, IV-b
I-a, II-b, III-c, IV-d
I-a, II-b, III-d, IV-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના સંદર્ભમાં સમાનતા અપવાદો (Exception to Equality)બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.
આપેલ બંને
સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું ?

મૂળજી આશારામ ઓઝા
મોહન લાલાજી
પ્રાણજીવન જોષી
નટવર મસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP