GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં.
2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
આપેલ પૈકી એક પણ નહીં
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.
II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.
III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.

ફક્ત II
ફક્ત II અને III
ફક્ત III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત III
ફક્ત I
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP