GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મહેસૂલી ખાધ (Revenue deficit) - આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
2. વિત્તીય ખાધ (Fiscal deficit) - કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી
3. નાણાંકીય ખાધ (Monetised deficit) - ખાનગી બજારોમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં ___ પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્વ આપવાનો બદલાવ શરૂ થયો.

આઠમી
છઠ્ઠી
સાતમી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો ખાધ અને કૃષિ સંસ્થાન (The United Nations Food and Agriculture Organization - FAO) અને આર્બર ડે ફાઉન્ડેશને તાજેતરમાં ___ ને 2020 ટ્રી સીટી ઓફ વર્લ્ડ (Tree City of World) તરીકે સ્વિકૃત કર્યુ છે.

હૈદરાબાદ
બેંગલુરુ
અમદાવાદ
કોલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.
II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે.
III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં સરોવરો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ક્ષેત્રફળના સંદર્ભમાં ‘સરદાર સરોવર’ ભારતમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું સરોવર છે.
2. ભારતમાં વુલર સરોવર તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે.
3. હમીરસર તળાવ ગુજરાતમાં કુદરતી સરોવરો પૈકીનું એક છે.
4. કેરળનું વેમ્બન્ડુ (Vembanad) સરોવર ભારતમાં સૌથી ઊંચુ સરોવર છે.

માત્ર 2
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP