GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે. 2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે. 3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ? I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં. III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ? I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ III. વી. પી. મેનન IV. કે. એમ. પાનીકર