સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની તા.1-4-2016 ના રોજની ચોપડે કિંમત ₹ 90,000 હતી. આ પૈકીનું 22,500ની ચોપડે કિંમતનું યંત્ર તા.1-7-2016 ના રોજ ₹ 25,000માં વેચ્યું હતું. તા. 1-9-2016 અને તા.1-1-2017 ના રોજ ₹ 20,009 અને ₹ 40,000ના નવા યંત્રો ખરીદ્યા હતાં. ઘસારાનો દર 15%નો છે. આકારણી વર્ષ 2017-18 માટે પ્લાન્ટ અને મશીનરી પર મજરે મળવાપાત્ર વધારો કેટલો ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?