GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
માળવાના ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે.
આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે.
સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય
2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય
3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય.
4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય

ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો.
P અને Q સાથે કામ નહિ કરે.
T અને R સાથે કામ નહિ કરે.
U અને T સાથે કામ કરવા ઈચ્છે છે.
તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?

P, R, T, S
R, Q, P, U
Q, S, R, P
Q, U, T, V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ?

ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું.
ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા.
નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું.
ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP