GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં અંદાજપત્રના પસાર થવાના છ તબક્કાઓનો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

અંદાજપત્રની રજૂઆત > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > સામાન્ય ચર્ચા > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > નાણા વિધેયકનું પસાર થવું > વિનિયોગ વિધેયકનું પસાર થવું.
આપેલ પૈકી કોઈ નહીં
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ગવર્નર જનરલ લૉર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું.
બ્રિટિશ સંસદે 1876 માં 'ધ રોયલ ટાઈટલ્સ એક્ટ' પસાર કરતાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ 'કૈસરે હિંદ' ખિતાબ ધારણ કર્યો.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં.

પહેલવાનો
સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ
અડાલજની વાવના કારીગરો
ચારણ કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.
2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.
3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP